ખેડૂતોનો મુખ્ય પાક છે. ગુજરાત કપાસની ખેતીમાં મોખરે છે. ત્યારે કપાસની ખેતી કરતા ખેડૂતો માટે ખેતી નિયામક કચેરી દ્વારા કેટલીક મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે.
કપાસ ન માત્ર આખા દેશનો, પરંતુ ગુજરાતનો પણ મહત્વનો પાક છે. દર વર્ષે ગુજરાતના હજારો ખેડૂતો કપાસની ખેતી કરે છે. ઉદ્યોગ જગતમાં તે વ્હાઈટ ગોલ્ડ તરીકે પ્રખ્યાત છે
👉 પ્રખ્યાત કંપનીઓના કપાસના બિયારણનું બુકિંગ ચાલુ છે!
🧾 GST સાથે પાકું બિલ આપવામાં આવશે.
🛍 ઓલ ગુજરાત ડિલિવરી – બિલકુલ ફ્રી!
📱 આજે જ Krushi Uday એપ્લિકેશન ડાઉનલોડ કરો
અને તમારું ઓર્ડર સરળતાથી બુક કરો!
વધુ માહિતી માટે સંપર્ક કરો: 9714152666
ખેતી નિયામક કચેરી દ્વારા સૂચવાયેલા પગલા મુજબ
ખેડૂતોએ ખેતરમાં ઉનાળા દરમિયાન ઊંડી ખેડ કરવી જોઈએ, જેથી જમીનમાં અગાઉના કપાસના પાકના અવશેષોમાં રહેલી ગુલાબી ઇયળના કોશેટા સૂર્ય પ્રકાશની ગરમીથી તેમજ કુદરતી ભક્ષકો દ્વારા નાશ પામે.
કપાસ પાકની વાવણી કરતાં પહેલાં જ ખેતરમાં રહેલા જૂના પાકના અવશેષોને વીણીને તેનો નાશ કરવો જોઈએ.
કપાસના ખેતરની ફરતે આજુ-બાજુના વિસ્તારમાં પાકનો કચરો કરસાંઠી અથવા અવશેષોના ઢગલાં કરવાનું ટાળવું જોઈએ.
ખેતી નિયામક વિભાગે જણાવ્યું કે, ઉનાળા દરમિયાન કપાસમાં ગુલાબી ઇયળ એટલે કે “પિંક બોલવોર્મ”થી પાકને બચાવવા માટે ખેડૂતોએ આટલા પગલા જરૂર લેવા. કપાસના વાવેતર પહેલા ઉનાળા દરમિયાન જમીનમાં ઊંડી ખેડ કરવી; જૂના પાકના અવશેષોનો નાશ કરવો.
ખરીફ સીઝન વર્ષ ૨૦૨૫ માં કપાસના પાકની વાવણીને ધ્યાને રાખીને ખેતરમાં ગુલાબી ઇયળ એટલે કે, પિંક બોલવોર્મ નામની જીવાતથી કપાસને બચાવવા માટે કપાસનું વાવેતર કરવા ઈચ્છુક ખેડૂતોએ હાલ ઉનાળા દરમિયાન જ કેટલાક આગોતરા પગલા લેવા જરૂરી છે.
