કૃષિ સમાચાર

વરસાદ મામલે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, આ વિસ્તારોમાં મેઘો મન મુકી વરસશે

By krushikhoj

September 04, 2023

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ થશે સક્રિય આગામી તારીખ 10 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થશે

અલ નીનોના કારણે ચોમાસાની રેખા નબળી પડી જવાના કારણે હવામાન પર વિપરીત અસર પડી રહી છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદે વિરામ લીધા બાદ હવે ચોમાસું ફરી સક્રિય થયું છે. આ વચ્ચે વરસાદની રાહ જોતા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આજથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે 6 સપ્ટેમ્બરથી મજબૂત બનશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6 થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. 10 થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરમાં પણ વરસાદ વરસશે. તો આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. તેઓએ કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ રહેશે. પંચમહાલ, ભરૂચ, સાપુતારામાં વરસાદની આગાહી છે.