ગાંધીનગર : સરકારે ખેડૂતોને રાહત થાય તે માટે મોટી જાહેરાત કરી છે. તેને લઈને પાણી-પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, ઉર્જા મંત્રી કનુ દેસાઈ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી.

ઉર્જા મંત્રીની મોટી જાહેરાત 8 કલાક ના બદલે 10 કલાક વીજળી મળશે આગામી 1 તારીખ પહેલાં અમલ શરૂ થઈ જશે.

છેલ્લા એક મહિનાથી જે વરસાદ આવી રહ્યો છે તેને લઈને ખેડૂત સમાજને તકલીફ પડી રહી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢ વગેરે જિલ્લાઓમાં હવેથી 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવામાં આવશે.

પાણી-પુરવઠા મંત્રીએ શું કહ્યું ?

આ મામલે પાણી-પુરવઠા મંત્રીએ જણાવ્યુ હતુ કે, વરસાદને કારણે 80 ટકા ડેમમાં પાણી છે. ડેમમાંથી જરૂરિયાત પ્રમાણે પાણી છોડવામાં આવશે. પાકને નુકસાન ન થાય અને બળી ના જાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આગામી બે દિવસમાં પાણી છોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. જે વિસ્તારમાંથી ડિમાન્ડ આવશે ત્યાં નર્મદા અને અન્ય ડેમમાંથી પાણી છોડવામાં આવશે. કપાસ, ડાંગર અને મગફળીના ખેડૂતોને ફાયદો થશે અને નર્મદાનું પાણી આપવામાં આવશે. ઉત્તર ગુજરાતમાંથી માગણી આવી છે અને કામગીરી શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી સાથે વાત કર્યા બાદ તાત્કાલિક નિર્ણય લઈને અમલ શરૂ કરાવ્યો છે.

 

Krushikhoj WhatsApp Group